રાજકોટમાં સિટી બસ અકસ્માતમા ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં સિટી બસ અકસ્માતમા ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર
ડ્રાઇવરનું લાઇસન્સ પૂર્ણ થઈ ગયું, છતાં બસ કેમ ચલાવી ?
ડ્રાઇવર સાથે બસ એજન્સી પણ એટલી જ જવાબદાર છે
શું આ મુદ્દે કોર્પોરેશન કમિશનર પગલાં લેશે ?

રાજકોટ સિટી બસ દ્વારા અકસ્માત મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર થયેલ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં સિટી બસ અકસ્માત મામલે પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર ડ્રાઇવર શિશુપાલસિંહનું ડ્રાઇવિંગ લાયસન્સ જ એક્સપાયર થયેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે ધારાશાસ્ત્રી દિલીપ પટેલે રોષ ઠાલવ્યો છે અને કહ્યું હતું કે ડ્રાઇવરને વગર લાયસન્સે સીટી બસ ચલાવવાનો પીળો પરવાનો કોણે આપ્યો ? લોકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ મુજબ અકસ્માત મામલે પીએમઆઈ એજન્સી સંપૂર્ણ જવાબદાર છે. શું આ મુદ્દે કોર્પોરેશન કમિશનર પગલાં લેશે ?

સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. એજન્સી સંચાલક કોન્ટ્રાકટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલો છે. તેમજ વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાય રહ્યો છે તે પણ સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. તેમજ ભાજપ સાથે જોડાયેલ હોવાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. સીટી બસના ચાલક તેમજ કંડક્ટરોની અવારનવાર બેદરકારી છતાં પણ એક જ એજન્સીને કામ અપાતું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *