અરવલ્લી હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન
સાંજે મહાઆરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું
આશરે 25 હજાર થી વધુ લોકો મહા પ્રસાદનો લાભ લેશે
મોડાસા: સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન, સાંજે ભવ્ય મહાઆરતી સાથે મહા પ્રસાદનું પણ આયોજન
સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આ પવિત્ર પ્રસંગમાં 100 વધુ દંપતી લોકો મહાયજ્ઞનો ભાગ લીધો છે સાંજે મહા આરતી કર્યા બાદ મહા પ્રસાદનું પણ આયોજન કરેલ છે જેમાં આશરે 25 હજાર થી વધુ લોકો મહા પ્રસાદનો લાભ લેશે.સાકરીયા હનુમાનજી મંદિર ખાતે 500 જેટલા સ્વયંસેવકો આજના પવિત્ર દિવસ નિમિત્તે ખડેપગે રહી સેવા આપશે. સુતેલા હનુમાનજીનું ગુજરાતમાં માત્ર એક આ સાકરીયા ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે સ્વયંભુ શ્રી ભીડભંજન દેવ સાકરીયા તરીકે ઓરખાય છે લોક માન્યતા અનુસાર અને મહાભારત યુગ સાથે આ મંદિર જોડાયેલ છે.