અમરેલીના લીલીયા શહેરમાં કાયમી મામલતદારની નિમણુંક

Featured Video Play Icon
Spread the love

અમરેલીના લીલીયા શહેરમાં કાયમી મામલતદારની નિમણુંક
રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત
અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન વિપુલ દૂધાતએ લખ્યો પત્ર

અમરેલીના લીલીયા શહેરમાં કાયમી મામલતદારની નિમણુંક કરવામાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરતા અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન વિપુલ દૂધાત ..

અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન વિપુલ દૂધાત દ્વારા મોટા લીલીયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારની નિમણુંક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે ત્યારે વિપુલ દુધાતે જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી લીલીયા શહેરમાં મામલતદારશ્રીની જગ્યા ખાલી પડેલ હોય સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ માટે મામલતદારની જરૂરિયાત હોય તો વહેલી તકે મામલતદાર કચેરીમાં નિમણુંક આપવા માગ કરવામા આવી છે ત્યારે મામલતદારની ખાલી જગ્યા અન્ય તાલુકાનાં મામલતદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાનાં લોકોને મામલતદાર કચેરીને લગતા કામ કાજ માટે મુશ્કેલીઓ પડે છે ત્યારે થોડા દિવસોમાં જ વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય એવાં જ મામલતદારની નિમણુંક થતી હોય મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય એવું વિપુલભાઇ દુધાત દ્વારા રજૂઆત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી લીલીયા તાલુકામાં કાયમી મામલતદારની નિમણુંક કરવા માટે વિપુલભાઇ દુધાતે પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવેલ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *