પાલનપુર કેનાલ રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
છ મહિને જ બેસી ગયો આરસીસી રોડ પાલિકા-કોન્ટ્રાક્ટર પર સવાલ
સુરતમાં આરસીસી રોડ છ સાત મહિનામાં બેસી ગયો હોવાના આક્ષેપો સાથે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક મહેશ પટેલ દ્વારા કરાયા હતાં.
સુરત મહાનગર પાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક આક્ષેપો થઈ ચુક્યા છે ત્યારે હવે પાલનપુર કેનાલ રોડ પર રસ્તાના કામને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપો મહેશ પટેલ દ્વારા કરાયા છે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર છ સાત મહિના પહેલા જ બનાવવામાં આવેલ આરસીસી રોડ બેસી ગયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાન મહેશ પટેલએ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતાં. સાંભળો શુ કહી રહ્યા છે સ્થાનિક આગેવાન મહેશ પટેલ.
