સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ
રઘુકુળ માર્કેટના માળિયામાં આગ લાગી
દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
3 ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ
સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે રીંગરોડ ખાતે આવેલ રઘુકુળ માર્કેટની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં આગના બનાવો વચ્ચે રીંગરોડ ખાતે આવેલી રઘુકુળ માર્કેટમાં આગ લાગી હતી. રઘુકુળ માર્કેટમાં આવેલ પહેલા માળની એક દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો બનાવને લઈ ફાયરને જાણ કરાઈ હતી જેથી ત્રણ ફાયર સ્ટેશનની સાત જેટલી ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
