સુરતની સચીન પોલીસે પ્રોહીબીશનના આરોપીને પાસા કર્યા
આરોપી પ્રકાશ ઉર્ફે દેવનાથ પપ્પુ નાથની પાસા દરખાસ્ત તૈયાર
પ્રોહીબીશન અને ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને પાસા હેઠળ ડિટેઈન
સુરતની સચીન પોલીસે પ્રોહીબીશનના નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા અને ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને પાસા હેઠળ ડિટેઈન કરી બન્ને આરોપીઓને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ પીએન વાઘેલા અને પીએસઆઈ એનડી ડામોરની ટીમે પ્રોહિબિશનના નોંધપાત્ર ગુનામાં સંડોવાયેલા આરોપી સુમિતસિંગ જયનારાયણસિંગ રાજપુત અને ઘરફોડ ચોરીના ગુનામાંસંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે દેવનાથ પપ્પુ નાથની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરના હુકમ બાદ બન્ને આરોપીઓને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યા હતાં.
