ભાવનગર મનપાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી
ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક માટે ઉમેદવારો પોતાના નામાંકન ભર્યા
કોંગ્રેસ અને વિપક્ષ પાર્ટીને ઉમેદવારો મળતા નથી તેથી જે આવે તેને ટિકિટ
ભાવનગર મનપાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક માટે ઉમેદવારો પોતાના નામાંકન પત્ર ભરવા ડીજે સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા..
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું જ્યાં 52 ઉમેદવારો સહિત ભાજપ મંત્રી, ધારાસભ્યો, પ્રભારી જોડાયા હતા. રામજી મંદિરે પૂજા કરી 52 ઉમેદવારો જીતની આશા સાથે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા. 52 બેઠક ઉપર ભગવો લહેરાશે તેવા નાદ સાથે વિજય વિશ્વાસ યાત્રા ચાલી હતી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષ પાર્ટીને ઉમેદવારો મળતા નથી તેથી જે આવે તેને ટિકિટ આપવી પડે છે. જ્ઞાતિ જાતિના તરકટો કરી કોંગ્રેસ અને વિપક્ષ જનતાને ભોળવે છે…
