સુરત ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને ભગાડી
સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી ધરપડક કરી
આરોપી મુમતાઝ જહાંગીર શેખ અને ભોગ બનનાર સગીરાને શોધી
સુરત ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી ધરપડક કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનને લઈ ભેસ્તાન પીઆઈ એએન ગાબાણીની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઉન ખાતે રહેતા પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગત 15 ફેબ્રુઆરીના રોજ મુળ બિહારનો અને હાલ લિંબાયત ખાતે ખાનપુરા સંગમ સોસાયટી પાસે રહેતો મુમતાઝ શેખ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હોય જેની તપાસ કરાઈ રહી હતી ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તથા સીસીટીવી ચેક કર્યા બાદ આરોપી મુમતાઝ જહાંગીર શેખ અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી સગીરાનો કબ્જો પરિવારને સોંપ્યા બાદ આરોપી મુમતાઝ શેખની ધરપડક કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
