સુરતમાં 15 વર્ષિીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા બળાત્કાર
સગીરા પર બે કારખાનેદારો દ્વારા દુષ્કર્મ આચરાયો હોવાની ઘટના
નરાધમો અરમાન અને પરવેશને ઝડપી પાડ્યા
સુરતમાં 15 વર્ષિીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી હતી.
સુરતમાં માસુમ બાળાઓ હાલ નરાધમોની શિકાર બની રહી છે. ત્યારે છેડતીની ઘટનાઓ વચ્ચે ભાઠેના વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા દુષ્કર્મ આચરાયો હોવાની ઘટના બની છે. નોકરી પર આવતી માસુમ કિશોરી સાથે નરાધમ કારખાનેદાર પરવેશ અને અરમાન દ્વારા બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈગઈ હતી અને ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી નરાધમો અરમાન અને પરવેશને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
