સાંસદ શક્તિસિંહના ભત્રીજાના આપઘાત કેસમાં થયા ખુલાસા

Featured Video Play Icon
Spread the love

સાંસદ શક્તિસિંહના ભત્રીજાના આપઘાત કેસમાં થયા ખુલાસા
રાતમાં બનેલી ઘટનાને લઈને પોલીસે આપી જાણકારી
કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું

અમદાવાદ બોડકદેવ એનઆરઆઈ ટાવરમાં યશરાજસિંહ ગોહિલે પત્નીની હત્યા કર્યા બાદ આપઘાતની ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું છે કે, રિવોલ્વર ફેરવતા આકસ્મિક ગોળી છૂટી અને પત્નીને વાગતા તેમનું મોત નીપજ્યું છે. હાલ વસ્ત્રાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવ વસ્ત્રાપુરમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં પતિએ પત્નીની હત્યા કરીને પોતે આપઘાત કર્યો છે. આ મૃતક યશરાજસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ બુધવારની રાતે પત્નીને ગોળી મારીને પોતે પણ આપઘાત કર્યો છે. આ અંગે પહેલા એવી વાત હતી કે, આ દંપતી વચ્ચે બોલાચાલી બાદ આ ખૂની ખેલ ખેલાયો હતો. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ અંગે નિવેદન આપ્યું છે કે, રિવોલ્વર ફેરવતા આકસ્મિક ગોળી છૂટી અને પત્નીને વાગતા તેમનું મોત નીપજ્યું છે. હાલ વસ્ત્રાપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિગતવાર માહિતી આપી છે

આ કેસમાં માહિતી મળી રહી છે કે, મૃતક યશરાજ ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં ક્લાસ ટુ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન ગત નવેમ્બર મહિનામાં જ થયા હતા. આ અંગે તેમના પરિવારજનો કે આસપાસના કોઈ લોકો કાંઈ પણ બોલવા તૈયાર નથી. પતિ પત્ની વચ્ચે શું થયું હતું અને તેમણે કેમ આ અંતિમ પગલું ભર્યું તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે પતિ અને પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *