સુરત કિશોરની હત્યા કરનાર આરોપીનું નીકળ્યું સરઘસ.

Featured Video Play Icon
Spread the love

સુરત કિશોરની હત્યા કરનાર આરોપીનું નીકળ્યું સરઘસ.
પ્રભુ મદ્રાસીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું
પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17 વર્ષના કિશોર પરેશ વાઘેલા હત્યા કેસમાં નવો વળાંક જોવા મળ્યો છે. આજે સુરત પોલીસે મુખ્ય આરોપી પ્રભુ શેટ્ટીને કડક બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું.

સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17 વર્ષના કિશોર પરેશ વાઘેલા હત્યા કેસમાં નવો વળાંક જોવા મળ્યો છે. આજે સુરત પોલીસે મુખ્ય આરોપી પ્રભુ શેટ્ટીને કડક બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું. આ રીકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ જાહેરમાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી પણ માગી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. લોકોએ ગુસ્સો વ્યક્ત કરતા કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરેશ વાઘેલાનીહત્યા પછી દેવીપુજક સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ આરોપીને કડકથી કડક સજા મળવી જોઈએ તેવી માગ ઉઠાવી છે. સુરત પોલીસે ઘટનાની તપાસ વધુ ગહન બનાવતા રીકન્સ્ટ્રકશનના પગલાં લીધા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *