સુરતની પીસીબીએ 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની પીસીબીએ 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળી હતી બાતમી
પોલીસે આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી

સુરતની પીસીબી પોલીસે સચિન પોલીસ મથકના હત્યાના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરે તારીખ 15 4 2025 થી તારીખ 30 4 2025 સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે જે અનુસંધાને શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરતના સચિન પોલીસ મથકમાં વર્ષ 2010માં હત્યાના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાઇલેન્ટ સુખલાલ નામદેવ હાલ વરાછા અશ્વનકુમાર ગૌશાળા પાસે ઉભો છે જે બાતમીના આધારે પોલીસે આરોપી શૈલેન્દ્ર કુમાર સાઇલેન્ટ સુખ લાલ નામદેવની ધરપકડ કરી હતી પકડાયેલ આરોપીને પૂછપરછ માં સામે આવ્યું હતું કે વર્ષ 2010 ના જાન્યુઆરી મહિનામાં પોતે વરાછા ઘનશ્યામ નગર ખાતે રહેતો હતો તે દરમિયાન કમલેશ દેવી પ્રીતમદાસ બૈરાગીની દીકરી મનોજ નામના ઇસમ સાથે ભાગી ગઈ હતી અને પોતે બ્રાહ્મણ સમાજનો હોય અને મનોજ દલિત જાતિનો હોય જેથી તેને મંજૂર ન હતું અને ભાગી જનાર દીકરીની માતા એ દીકરીને ભગાવી જનાર મનોજ નું મોત કરવાનું કાવતરું ગયું હતું અને આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુને તે કામ સોંપ્યું હતું. જેથી આરોપી ગુલાબી મરણ જનાર મનોજ બર્મન ને સુરત ખાતે બોલાવ્યો અને હાલમાં પકડાયેલ શૈલેન્દ્ર કુમાર તથા તેના મિત્ર આરોપી ગુલાબ ગુડ્ડુએ ભેગા મળી મનોજ નામના ઇસમને ગળે ટૂંપો બાંધી મોતને ઘાટ ઉતાર્યો હતો. અને તેની લાશ સચિનના ખરવાસા ગામ થી એકલારા ગામની વચ્ચે આવેલ નહેરની બાજુમાં ખાડામાં ફેંકી દીધી હતી આરોપી હત્યા કરી પોતાના વતન નાસી ગયો હતો અને ત્યારબાદ ફરીથી સુરત શહેરમાં પોતાની ઓળખ છુપાવી પોતાનું નામ બદલી સાઇલેન્ટ નામ રાખી રહેઠાણ બદલીને સુરતમાં રહેતો હતો. હાલ પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *