સુરતમાં પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં થયો હોબાળો
શાસક પક્ષ તરફથી વિપક્ષને “દેશદ્રોહી” કેહતા મામલો ગરમાયો
વિવાદ વધુ ઉગ્ર બનતા બંને પક્ષ સામસામે આવી ગયા
સુરત મહાનગર શહેરની પાલિકા મુખ્ય કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ અને શાશક પક્ષના હોદેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. શાસક પક્ષ તરફથી વિપક્ષને “દેશદ્રોહી” કેહતા મામલો ગરમાયો હતો.
સુરત મહાનગર શહેરની પાલિકા મુખ્ય કચેરી ખાતે મળેલી સામાન્ય સભા વચ્ચે આજે રાજકીય તણાવના દ્રશ્યો જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ નાગરીકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બેઠકની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું, ત્યારબાદ વિપક્ષે હુમલાની ઘટનાઓ અંગે કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા અને કડક પગલાંની માંગ ઊઠાવી હતી. વિપક્ષે આ મામલે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા શાસક પક્ષના સભ્યો સાથે વાદવિવાદ શરૂ થયો. વિપક્ષે શાસક પક્ષ પર પગલાં લેવાના મુદ્દે નિષ્ફળતાનો આરોપ મૂક્યો તો શાસક પક્ષ તરફથી વિપક્ષને “દેશદ્રોહી” કહીને આક્ષેપ કરવામાં આવ્યો. આ કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો અને બંને પક્ષ સામસામે આવી ગયા હતા.