અરવલ્લી આદમી પાર્ટીના એક દિવસ માટે પ્રતીક ઉપવાસ
1લી મે 66 મા ગુજરાત સ્થાપના દિવસે અરવલ્લી આદમી પાર્ટીના એક દિવસ માટે પ્રતીક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું
1લી મે 66 મા ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટીના એક દિવસ માટે પ્રતીક ઉપવાસ .રાજ્યની પ્રજાનેશાંતિ, સુખાકારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી સામે અને રાજ્યકક્ષાના મંત્રી તેમજ સાબરકાંઠા અરવલ્લીના સાંસદ કાર્યાલય નજીક બળબળતા તાપમા અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઓ સવારથી જ ઉપવાસ પર બેસી ગયા છે ત્યારે ગતરોજ પત્રકાર પરિષદ યોજી અને ઉપવાસ પર ઉતારવા નો સંદેશ પ્રજા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ જિલ્લાનું તંત્ર માત્ર બીજેપી સરકારના ઈશારે કામ કરતું હોય તેમ જિલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા કાર્યકર્તાઓનું અસહ્ય ગરમીમાં આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ નું નિર્માણ થવા પામેલ છે