ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ભયનો માહોલ
રાત્રે અંધારું થતાં જ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અપનાનગરમાં રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રાત્રે અંધારું થતાં જ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હોવાના આક્ષેપ કરાયા છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તાર પાછળ આવેલા ખારના અવાવરું વિસ્તારમાંથી ટોળાં આવી પથ્થરમારો કરે છે. સતત પથ્થરો પડતા સ્થાનિક લોકો ભયભીત થઈ રસ્તા પર આવી ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં, આરોપીઓને તમે શોધી પોલીસ સ્ટેશન લાવો એવો જવાબ આપવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે ત્યારે ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે..
