અમરોલી ખાતે સી.આર.પાટીલની આગેવાનીમાં બિહારી ભાઈઓ માટે કાર્યક્રમ
બિહારી ભાઈઓ અને બહેનો સાથે ફરી એકવાર એનડીએ સરકારનો હુંકાર
સુરતના અમરોલી ખાતે 155 ઓલપાડ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને બિહારના સહ પ્રભારી સી.આર. પાટીલની આગેવાનીમાં બિહારી ભાઈઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો.
આગામી બિહાર વિધાનસભા ચૂંટણીના ભાગ રૂપે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને બિહાર રાજ્યના સહ-પ્રભારી સી.આર. પાટીલ દ્વારા સુરત જિલ્લાના 155 ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા તમામ બિહારી ભાઈઓ અને બહેનો સાથે વાતચીત માટે અને આ વખત ફરી એકવાર એનડીએ સરકારનો હુંકાર કરાયો હતો. સુરત જિલ્લાના 155 ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા તમામ બિહારી ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
