સુરતમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ
સુરત શહેર કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું
કોંગ્રેસના નેતાઓએ પહેલગામ હુમલાની કડક નિંદા કરી
પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલ્વે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં મૌન પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલ્વે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં મૌન પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, કાદીર પીરઝાદા, હરીશ સૂર્યવંશી, કલ્પેશ બારોટ, અશોક કોઠારી, જયેશ ભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.