સુરતમાં લક્ષ્મી ડાયમંડ પર પડેલા આઈટીના દરોડા
વસંત ગજેરા દ્વારા નિવેદન જારી કરી સરકારની વાહવાહી કરી
110 લોકોની ટીમે 27 જેટલા લોકેશન ઉપર સર્ચ કર્યું
સુરતમાં લક્ષ્મી ડાયમંડ પર પડેલા આઈટીના દરોડાને લઈ સંસ્થાપક વસંત ગજેરા દ્વારા નિવેદન જારી કરી સરકારની વાહવાહી કરી હતી.
સુરતમાં લક્ષ્મી ડાયમંડ ઉપર આઈટીના દરોડા બાદ સંસ્થાપક વસંતભાઈ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે. વસંત ગજેરાએ કહ્યુ હતું કે 53 વર્ષથી અમે કંપની ચલાવી રહ્યા છીએ. આઈટીના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી છે. તો 110 લોકોની ટીમે 27 જેટલા લોકેશન ઉપર સર્ચ કર્યું હતું. 6 દિવસની રેડ દરમ્યાન નાના – મોટા કાગળિયાં આઈટીની ટીમ લઇ ગઈ છે. ભવિષ્યમાં અમે તેમને જરૂર મુજબ પુરાવા રજુ કરી જવાબ આપીશું. અમે સતત નિયમો પ્રમાણે જ કામ કર્યું છે તેમ વસંતભાઈ ગજેરાએ જણાવ્યુ હતું.
