સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન
મુસાફરોને ગરમીથી રાહત આપવાનો પ્રયાસ
ઉધના ખરવરનગર બીઆરટીએસ બસ સ્ટોપ પર ઓઆરએસ અને પાણીનું વિતરણ

હવામાન વિભાગ દ્વારા જ્યાં આગાહી કરવામાં આવી હતી તે મુજબ સતત ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. સુરતમાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. મોટાભાગના લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સતત વધતા ટેમ્પરેચરને કારણે બહાર કામકાજ અર્થે નીકળતા લોકો પણ તબિયત બગડવાના ડરથી સાવચેતી રાખી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઉધના – ખરવરનગર બીઆરટીએસ પર મુસાફરી કરતા લોકો માટે પાણી અને ઓઆરએસ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરમાં બપોરના સમયે લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને વધુ મુશ્કેલી સહન કરવાના વખત આવ્યો છે, આવી સ્થિતિમાં ગરમીના કારણે કોઈપણ વ્યક્તિની તબિયત ખરાબ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઉધના વિસ્તારની અંદર જેટલા પણ BRTS બસ સ્ટોપ છે, ત્યાં અવરજવર કરતા મુસાફરો માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તમામ મુસાફરોને ORS પીવડાવવામાં આવી રહ્યું છે. જેથી, કરીને ગરમીના કારણે તેઓ ડિહાઇડ્રેશનના ભોગ ન બને.

ઉધના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો કામકાજ અર્થે બહાર નીકળતા હોય છે ત્યારે BRTS બસનો ઉપયોગ કરતા હોય છે. ગરમીના કારણે શરીરમાંથી ઇલેક્ટ્રોલ ઘટી જાય છે. તેથી ORS પીવડાવાથી તેનું સંતુલન શરીરમાં જળવાઈ રહે છે. ઉધના વિસ્તારમાં 20 જેટલા BRTS બસ સ્ટેન્ડ છે. તમામ ઉપર સવારે અને સાંજે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને ORS પણ બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને આપવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેમને કોઈ તકલીફ ન થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *