ક્રાઈમ કેપિટલ બન્યું સુરત!

Featured Video Play Icon
Spread the love

ક્રાઈમ કેપિટલ બન્યું સુરત!
સગીરની હત્યા બાદ પોલીસનું નાઈટ પેટ્રોલિંગ
10 રૂપિયા માટે સગીરની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ
કાપોદ્રાના ક્રિષ્નાનગર, દિનદયાલ નગર અને રામનગર વસાહતમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા
અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી

સુરતના કાપોદ્રામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મૃતક પરેશ વાઘેલાના પરિવારને મળ્યા બાદ ક્રિષ્નાનગર, દિનદયાલ નગર અને રામનગર વસાહતમાં અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના નગરમાં 17 વર્ષીય પરેશ અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતો હતો. રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારની આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો હતો. 14 એપ્રિલની રાત્રે કામ પરથી ઘરે પરત ફરતી વખતે પરેશ પ્રભુ શેટી નામના યુવક સાથે અથડાયા બાદ પ્રભુ શેટીએ 10 રૂપિયાની માંગ કરી હતી. જોકે, પરેશ પાસે રૂપિયા ન હોવાથી તેણે ઇન્કાર કરતા પ્રભુએ પરેશને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ આગળ જઈને એક રિક્ષાચાલકને પણ ચપ્પુના બે ઘા માર્યા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ સર્જાઇ ગયો હતો.પરિવાર સહિત સમાજના લોકો દ્વારા સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાંચથી છ કલાક માટે તંગદિલી જેવો માહોલ રહ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ, એસોજી અને સ્થાનિક પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોના આક્ષેપના પગલે રાતના સમયે કાપોદ્રા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસ, ઝોન વન ડીસીપી આલોકુમાર, એસઓજી ડીસીપી નકુમ અને ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા સહિતના પોલીસ દ્વારા મૃતકરા પરિવારને મળ્યા હતા. ત્યારબાદ ક્રિષ્નાનગર વસાહત, દિનદયાલ નગર વસાહત અને રામનગર વસાહતમાં કોમ્બિંગ કરાયું હતું. અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *