મહારાષ્ટ્ર સરકારના માજી કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાટ આવ્યા સુરત

Featured Video Play Icon
Spread the love

મહારાષ્ટ્ર સરકારના માજી કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાટ આવ્યા સુરત
કોંગ્રેસની સંગઠન મજબૂત બનાવવા હેતુથી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી
પરિષદમાં માજી મંત્રી, માજી સાંસદ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

સુરતમાં કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન હેઠળ મહારાષ્ટ્ર સરકારના માજી કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાટ સુરત આવ્યા હતા અને કોંગ્રેસની સંગઠન મજબૂત બનાવવા હેતુથી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી

સુરતમાં કોંગ્રેસના સંગઠન સુજન અભિયાન હેઠળ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય અને માજી કેન્દ્રીય મંત્રી મહારાષ્ટ્ર સરકારના બાલાસાહેબ ખો બાલાસાહેબ થોરાટ આજે સુરત પધાર્યા હતા. સુરત શહેરના કોંગ્રેસે કાર્યકર્તાઓ સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો અને સુરત શહેરના 12 વિધાનસભામાં સંગઠન મજબૂત બને અને કાર્યકર્તાઓ મજબૂત બને તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ દરમિયાન તેમને પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંગઠન સુર્જન અભિયાનની શરૂઆત કરાવી છે જે અભિયાનમાં મને તમામ અલગ અલગ રાજ્યોમાં અને શહેરોમાં જવાની જવાબદારી મળી છે જે જવાબદારીના ભાગરૂપે આજે સુરતમાં કોંગ્રેસને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી આ સાથે તેમને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને લઇ મૌન પાડ્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમને જણાવ્યું હતું કે , વિપક્ષ તરીકે લડવા માટે અમારે સંગઠન મજબૂત કરવાની જરૂર છે જે હેતુથી અમે આ સંગઠનની શરૂઆત કરી છે. આ પત્રકાર પરિષદમાં માજી મંત્રી ભરત સોલંકી કિશન પટેલ માજી સાંસદ પરિમલસિંહ રાણા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ગીતાબેન પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *