માંડવીમાં મહાત્મા ગાંધીજીની જન્મદિવસની ઉજવણી
ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા દ્વારા ગાંધી ફળિયા ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.
માંડવી નગરપાલિકા દ્વારા ગાંધી ફળિયા ખાતે આવેલ ગાંધીજીને પ્રતિમાને નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ અર્પણ કરી તમામ મહાન અનુભવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું .તથા શ્રેષ્ઠ સફાઈ કામદારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તથા સરકાર દ્વારા આપવામાં આવતી રૂ 10000 ની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ નગર ભાજપના મહામંત્રી શ્રી ઓ શાલીન ભાઈ શાહ, વિજયભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો કોર્પોરેટરો, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી
