સુરતના ટોકરવા ગામમાં આશુતોષ મિશ્રાજીનું ભવ્ય સેવાકાર્ય
ધીરેન્દ્ર શાસ્ત્રીજીના અવતરણ દિને ૧૨૦૦ લોકોને સહાય
ટોકરવા ગામમાં આશુતોષ મિશ્રાજીનો સેવા મહાયજ્ઞ
અવતરણ દિવસ નિમિત્તે ૧૨૦૦ લોકોને સહાય
બાગેશ્વર ધામની પ્રેરણાથી અનાજ-સાડીઓનું વિતરણ
આજ રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ જી ના અવતરણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટ ના એડવોકેટ એવા આશુતોષ કુમાર મિશ્રાજી દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યા હતા
સુપ્રીમ કોર્ટ ના એડવોકેટ એવા આશુતોષ મિશ્રાજી દ્વારા સુરત તાપી જિલ્લામાં ઇનમાં ટોકરવા ગામ કે જે આશુતોષ મિશ્રાજી દ્વારા દતક લેવામાં આવેલું છે ત્યાં આજે આશુતોષ મિશ્રાજી દ્વારા ગામમાં રહેતી મહિલાઓને સાડી વિતરણ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક તેમજ સ્કૂલબેગ તેમજ ગામમાં રહેતા લોકોને અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આશુતોષ મિશ્રાજી દ્વારા આ ગામને દતક લેવામાં આવ્યું છે અને ગામની અંદર રહેતા તમામ લોકોને આર્થિક તેમજ નાણાકીય સહાય પણ કરવામાં આવે છે આશુતોષ મિશ્રાજી દ્વારા ગામમાં રહેતા લોકોને હર વર્ષે બુક વિતરણ સાડી વિતરણ તેમજ ધાબડા વિતરણ અને અનાજની કીટ વિતરણ નું પણ આયોજન કરવામાં આવે છે સાથોસાથ આશુતોષ મિશ્રાજી દ્વારા દત્તક લીધેલા ગામમાં રહેતી યુવતીઓના લગ્ન પણ કરાવામાં આવી રહ્યા છે લગ્નની અંદર થતો તમામ ખર્ચ આશુતોષ મિશ્રાજી દ્વારા કરવામાં આવે છે સાથે બાળકોને શિક્ષણને લઈને પણ ઘણી સેવાઓ કરવામાં આવે છે
જો અનાજની કીટ માં તમામ ખાદ્ય પદાર્થોમાં જેમકે ૧૫ કી.ગ્રા. તિરૂપતી તેલ,૫ કીગ્રા. લોટ, ૫ કીગ્રા. ચોખા, તેલ ૧ કીગ્રા., ખાંડ ૧ કીગ્રા., દેશી ચણા ૧ કીગ્રા., પૌઆ ૧ કીગ્રા., તુવેર દાળ ૧ કીગ્રા., મીઠું ૧ કીગ્રા., મસાલો ૪ જાતનો, સાબુ નહાવાનો, કપડા ધોવાનો સાબુ, અગરબત્તી, પાવડર સર્ફ, પાર્લે બીસ્કીટ, સોયાબીન વિગેરે તથા સ્કુલબેગ, સાડી, ધાબડા, માસ્ક, સેનીટાઇઝર અને અમારા ગામમા નવનિરમીત મંદીરમાં ટાઇલ્સ અને ભંડારાનો અનાજ કીરાણાનો સામાન આપવામાં આવેલ છે. આમ આસરે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા વ્યકતીઓને ઉપર મુજબની ઉપયોગી ચીજવસ્તુઓ ખાધ્ય સામગ્રી મદદ અને સહાય રૂપે આશુતોષ મિશ્રાજી દ્વારા આપવામાં આવી છે ત્યારે આજરોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ જી ના અવતરણ દિવસ નિમિત્તે સેવાકીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું