સુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ
દક્ષિણ ગુજરાતના કાર્યકર્તા સંમેલનમાં આપશે હાજરી
આપ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ
સુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાતના કાર્યકર્તા સંમેલનમાં આવી રહ્યા હોય જે અંગે સુરત આપ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.
આવતીકાલે 9 માર્ચ સોમવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાત ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં વિશેષ ઉપસ્થિત રહેવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા સુરત આવી રહ્યા હોય જે અંગે આપ પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, સુરત પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અને સુરત મનપા નેતા વિપક્ષ પાયલ સાકરિયા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.
