મોડાસાની પંચવટી સોસાયટીમાં ઉલ્લાસભેર ગણેશ સ્થાપન!
છેલ્લા 8 વર્ષથી ઈકો-ફ્રેન્ડલી ગણપતિની પરંપરા યથાવત્
સમાજના સહયોગથી ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે ભવ્ય સ્થાપન!
ગણેશ ચતુર્થી ના દિવસ મોડાસા શહેર ની પંચવટી સોસાયટી માં વિઘ્નહર્તા ગણપતિ દાદા નુ વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું..અને છેલ્લા આઠ વર્ષ થી પર્યાવરણ ને ધ્યાન માં રાખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવામાં આવે છે અને સ્થાપન કરવામાં આવે છે..ચાલુ વર્ષે મૂર્તિ ના યજમાન પટેલ ગિરીશભાઈ અને પટેલ ધર્મેન્દ્રભાઈ દ્વારા મૂર્તિ નુ સ્થાપન કરી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક પરિવાર ના સાથ સહકાર થી ઉલ્લાસભેર સ્થાપન કરવામાં આવ્યું હતું…દુંદાળા દેવના આગમનને વધાવવા અબાલ વૃદ્ધ સૌ કોઇમાં ઉત્સાહ જોવા મળ્યો હતો…
