સુરત : તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં
આરોગ્ય વિભાગએ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા
નમુનાઓ લઈ લેબમાં મોકલી અપાયા
સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આવનાર તહેવારોને ધ્યાને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. અને નમુનાઓ લઈ લેબમાં મોકલી અપાયા હતાં.
સુરતમાં આવનાર તહેવારોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગઈ છે. તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોગી જતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં મોહન મીઠાઈ સહિતની દુકાનોમાં દરોડા પાડી ત્યાંથી મીઠાઈઓના નમુના લીધા હતા. અને પૃથ્થકર ણાટે લેબમાં મોકલી આપ્યા હતાં.
