નવસારીમાં 5000 થી વધુ આદિવાસી સમાજના લોકોએ વિશાળ રેલી કાઢી
વર્ષોથી ગામ તળમાં રહેતા લોકોના દબાણમાં આવેલા ઘરો તોડવાની પ્રક્રિયા શરૂ
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા 5000 થી વધુ આદિવાસી સમાજના લોકોએ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેકટરના આવેદનપત્ર પાઠવ્યું છે.
વર્ષોથી ગામ તળમાં રહેતા મહાનગરપાલિકા વિસ્તારના લોકોના દબાણમાં આવેલા ઘરો તોડવા માટેની પ્રક્રિયા શરૂ થતા દબાણ હટાવતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ટાઉન પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ પ્લાનમાં આવતા ઘરો તોડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેને લઈ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માંગણી પૂર્ણ ન થાય તો જલદ આંદોલનની કિંમતી પણ આપી છે…
