સુરતમાં બાબા સાહેબ આંબેડકરની 135 મી જન્મ જ્યંતિની ઉજવણી
બંધારણના રચેતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા
ભાજપ અને કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી
સુરતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135 મી જન્મ જ્યંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિવિધ રાજકીય પક્ષો અને હાલના ઉમેદવારોએ બંધારણના રચેતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતાં.
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જ્યંતિની સુરતમાં ભવ્ય ઉજણી કરાઈ હતી. ભાજપ અને કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીના નેતાઓ તથા હાલના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઉમેદવારોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતાં. અને બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા તથા તેમણે ચીંધેલા માર્ગે ચાલવા માટેના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. તો આ ઉજવણીમાં સુરતની જનતા પણ જોડાઈ હતી. અને જય ભીમના નારા લગાવ્યા હતાં.
