સુરતમાં નજીવી બાબતે હુમલાઓની ઘટના વધી
સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણુ
પોલીસે બન્ને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
સુરતમાં નજીવી બાબતે હુમલાઓની ઘટના વધી રહી છે ત્યારે સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણુ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયુ હતું. જેમાં મહિલાઓ અને ભાડાના મકાનમાં ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે જેમાં ભાડાના મકાનમાં ચાલતા ઓનલાઈન વેપારને લઈને લુખ્ખાઓ આવતા હોવાની ફરિયાદ કરાઈ હતી. સોસાયટીની મહિલાઓ અને ઓનલાઈન વેપાર કરતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ અને યુવકોએ મહિલાઓના કપડા ફાડીને માર માર્યો હતો. મહિઓએ પણ યુવકોના કપડાં ફાડ્યા હતાં. તો ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે બન્ને પક્ષો વચ્ચે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
