સુરતમાં આરટીઓનો ટેક્ષ નહી ભરનારા ઉપર બોજો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આરટીઓનો ટેક્ષ નહી ભરનારા ઉપર બોજો
ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસીયાનો 45.39 લાખ રૂપિયા ટેક્સ
બે બસ માલિકોની મિલકતો પર બોજો પાડવામાં આવ્યો

સુરતમાં આરટીઓનો ટેક્ષ નહી ભરનારા બસ માલિકો સામે મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ બે બસ માલિકોની મિલકતો પર બોજો પાડવામાં આવ્યો છે.

ગુજરાતમાં પ્રથમ વખત આરટીઓની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં સુરત આરટીઓનો ટેક્સ નહિ ભરનાર બે બસના માલિકોની મિકલતો પર બોજો પાડ્યો હતો. બસનુ ટેક્સ ભરવામાં અખાડા કરનારા બે સંચાલકની મિલકત પર બોજો પાડ્યો હતો. તો આરટીઓએ ભાવનગર અને ગારિયાધાર તળાજાની જમીન પર બોજો પાડી દીધો છે. બસ માલિક ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસીયા 45.39 લાખ રૂપિયા ટેક્સ બાકી હતો. અને અનેકવાર નોટિસ આપવા છતાં આરટીઓનો ટેક્સ ભરતા નહી હોય જેને લઈ આખરે આરટીઓએ માલિકીની જમીન પર બોજો પાડી કડક કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *