સુરત : મનીષા બૈરાગી હત્યાકાંડમાં સુરત સર્વ સમાજનું આવેદન
સુરતમાંથી વડાપ્રધાનને તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર અપાયું
મનિષા હત્યાકાંડ – આરોપીઓને કડક સજા અપાવવાની માંગ
સુરત કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર
સુરત કલેકટર વતી વડાપ્રધાનને સર્વ સમાજ સુરત દ્વારા હરિયાણામાં મનીષા બૈરાગીના મોતને લઈ ન્યાય અપાવવાની માંગ સાથે આવેદન પત્ર અપાયુ હતું.
સુરત સર્વ સમાજ સુરત દ્વારા કલેકટર થકી વડાપ્રધાનને આવેદન પત્ર આપી જણાવાયુ હતું કે હરિયાણાના લક્ષ્મણ ગામની મેડિકલની વિદ્યાર્થીની અને પ્લે સ્કુલની શિક્ષિકા મનીષા બૈરાગી ની ગત 13 ઓગષ્ટના રોજ ઘાત્કી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે મામલે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયુ હતું. તો સાથે મનીષા બૈરાગીને ન્યાય આપી તેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરાઈ હતી.
