સુરત હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છૂટી ફરાર
નવ મહિનાથી ભાગી છુટેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝા નવ મહિનાથી ફરાર હતો
સુરત હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જેલમાંથી વચગાળાના જામીન પર છુટી નવ મહિનાથી ભાગી છુટેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરતનમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ દકરી રહી છે ત્યારે વરાછા પોલીસે હત્યાના ગુનામાં ઝડપી પાડેલા અને લાજપોર જેલમાં રહેલા આરોપી એવા પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝા વચગાળાના જામીન પર લાજપોર જેલમાંથી છુટ્યા બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર થઈ ગયો હતો જે હાલ કાપોદ્રા યોગીચોક રોડ પર હોવાની માહિતી મળતા તેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિટેઈન કરી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
