દાહોદ જિલ્લામાં આતંકી હુમલાનો પત્રકાર પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

દાહોદ જિલ્લામાં આતંકી હુમલાનો પત્રકાર પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન
પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ પે
આતંકવાદીનો પુતળા દહન કરવામાં આવ્યું

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસી પર થયેલા હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 28 લોકોના મોત નિપજ્યાં હતા. આંતકીઓ હજુ પણ ભારતીય સેનાની પકડથી દુર છે. એવામાં ગુજરાત આતંકી હુમલાનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા નગરપાલિકા ચોક પર આતંકવાદી નો પુતળા દહન કરવામાં આવ્યું હતું, તેમજ ભારત માતાકી જય અને પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાવાદ જેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા, તેમજ પહેલગામમાં જેટલા પણ પ્રવાસીઓના મોત લિપજ્યા છે તેમના માટે મોન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી અને સરકાર આવા આતંકી હુમલા અને આતંકવાદીઓ પર સખ્ત સજા કરે તેવું નિવેદન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય સંગઠન દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી અને પાકિસ્તાનના ધ્વજ સળગાવ્યો હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાને લઈ દાહોદમાં હિંદુ સમાજ દ્વારા ઝાલોદ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *