સુરત જિલ્લામાંથી પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈનનો વિરોધ
કલેકટરને ખેડૂત સમાજ દ્વારા આવેદન પત્ર અપાયુ
મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા
સુરત જિલ્લામાંથી પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈન પસાર થનાર હોય જેને લઈ સુરત કલેકટરને ખેડૂત સમાજ દ્વારા આવેદન પત્ર અપાયુ હતું.
સુરત જીલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોલ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકા ગામોમાંથી પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈન પસાર થનારર છે. જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઈનના વિરોધમાં સુરત કલેકટરાલયે પહોંચી અસરગ્રસ્ત ખેડુતોએ ગુજરાત ખેડુત સમાજના નેજા હેઠળ કલેક્ટરને મળી આવેદન પત્ર આપ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતાં.
