જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વલસાડમાં પણ પોલીસ એક્શન

Featured Video Play Icon
Spread the love

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વલસાડમાં પણ પોલીસ એક્શન
ઘૂસણખોરોને ઝડપવા પોલીસનું ઓપરેશન ક્લીન યથાવત.
પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું.

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વલસાડ જિલ્લા પોલીસે આજે વિશાળ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 383 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસના ઘુષણખોરોને પકડવાના ઓપરેશનને પગલે વલસાડમાં પણ પોલીસ એક્શન મોડર્મ આવી છે. વાપી રેલવે સ્ટેશન, અંબામાતા મંદિર વિસ્તાર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે હોટલ, ગેસ્ટ હાઉસ, ચાલી અને GIDC વિસ્તારની કંપનીઓમાં ચેકિંગ કર્યું હતું. શંકાસ્પદ વ્યક્તિઓની પ્રાથમિક પૂછપરછમાં તેમના રહેઠાણ, નોકરી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. વિઝા વગર રહેતા વિદેશી નાગરિકોને ઓળખી કાઢવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. વલસાડ SP ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB અને SOG સહિતની પોલીસ ટીમે વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું.

ઘુષણખોરો અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે પોલીસે ઔદ્યોગિક એકમો, ભંગારના ગોડાઉન સંચાલકો અને ચાલી માલિકોને શંકાસ્પદ વિદેશી નાગરિકોની માહિતી આપવા જણાવ્યું છે. આગામી દિવસોમાં પણ ટેકનિકલ અને માનવ બાતમી તંત્રના આધારે આવી કાર્યવાહી ચાલુ રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *