પાકિસ્તાન સાંસદે પીએમ શાહબાઝને કાયર કહ્યા

Featured Video Play Icon
Spread the love

પાકિસ્તાન સાંસદે પીએમ શાહબાઝને કાયર કહ્યા
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં ભારતની બહાદૂરીના વખાણ…
પાકિસ્તાનના સાંસદે જ પાકિસ્તાનના પીએમ ની ઘૂળ કાઢી નાખી..
સરકારે કહ્યું- કરાચી પોર્ટ ઉડાડી દેવાની વાત ખોટી

પાકિસ્તાનના સાંસદ શાહિદ અહેમદ ખટ્ટકે પીએમ શાહબાઝ શરીફને શિયાળ જેવા લુચ્ચા કહ્યા છે. નેશનલ એસેમ્બ્લીમાં બોલતાં શાહિદે કહ્યું હતું કે શાહબાઝા મોદી વિરુદ્ધ એકપણ શબ્દ બોલ્યા નથી.

પાકિસ્તાન સરકારે કરાચી બંદર પર બોમ્બ વિસ્ફોટ સંબંધિત સમાચારને ખોટા ગણાવ્યા છે. આ માહિતી આપતાં કરાચી પોર્ટના X હેન્ડલે બંદરને સુરક્ષિત ગણાવ્યું છે.
દરમિયાન, પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ શુક્રવારે દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં 35 ભારતીય ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય હુમલાઓમાં તેમના 31 લોકો માર્યા ગયા હતા, જ્યારે 57 ઘાયલ થયા હતા. ગુરુવારે અગાઉ પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે તેણે 25 ડ્રોન તોડી પાડ્યા છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ભારતે 9 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા હતા. ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને ક્રિકેટ ટુર્નામેન્ટ PSL ને UAE માં ખસેડવાનો નિર્ણય લીધો છે. આ પછી લાહોરના ગદ્દાફી ક્રિકેટ સ્ટેડિયમમાંથી PSL હોર્ડિંગ્સ દૂર કરવાનું શરૂ થઈ ગયું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે વાત કરી છે. ડારે ડેવિડને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન પ્રાદેશિક તણાવ વિશે માહિતી આપી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.નિવેદન અનુસાર, ડેવિડ લેમીએ બંને પક્ષોને સંયમ રાખવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે પગલાં લેવા જણાવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *