નાના વરાછાની ચીકુવાડી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન
ભક્તિમય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
શાસ્ત્રી સંજયદાસ રામકબીરના મુખેથી કથારસનો લાભ
વિધિકાર શાસ્ત્રી પ્રહાલદભાઈ જોષીની વિશેષ ઉપસ્થિતિ
સુરતના નાના વરાછા ખાતે આવેલ ચીકુવાડી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ વક્તા શાસ્ત્રી સંજયદાસ રામકબીર અને વિધિકાર શાસ્ત્રી પ્રહાલદભાઈ જોષીની હાજરીમાં આયોજન કરાયુ હતું.
સુરતના નાના વરાછા ચીકુવડી ખાતે આવેલ સુર્ય કિરણ સોસાયટીમાં શ્રીહરિની પાવન કથાનુ આયોજન કરાયુ હતું. 8 જુનથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથામાં પ્રથમ પોથી યાત્રા, કપિલ જન્મ, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોર્વધન પુજા, રૃકિમણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરિક્ષિત મોક્ષ સાથે આ કથાનુ સમાપન થયુ હતું. તો કથાકાર વક્તા શાસ્ત્રી સંજયદાસ જે. રામકબીર પાણીયાળાવાળા દ્વારા કથાનુ રસપાન કરાવાયુ હતું. તો વિધિકાર શાસ્ત્રી પ્રહાલદભાઈ જોષી હાજર રહ્યા હતાં. જે અંગે આયોજકોએ માહિતી આપી હતી.
