નવસારી મહાનગર પાલિકામાં બહુમતી મળતા વિજયોત્સવ કાર્યક્રમમાં
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા
નવસારીના વિજયોત્સવ કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર પાટીલે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા,
નવસારી મહાનગર પાલિકામાં ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે અનંત પટેલને ઘરમાં જ 1100 વોટથી હરાવ્યા હોવાનું જણાવી અધિકારીઓને ધાક ધમકીઓ આપીને રાજનીતિ કરતા હોવાનો ગંભીર આરોપ કર્યો છે સામાજિક રીતે પણ દબાણમાં રાખીને રાજનીતિ કરી પોતાનું ઉલ્લુ સીધો કરવાની કોશિશ કરનાર નેતાઓને ગુજરાતમાંથી જકારો મળ્યો છે…
