સુરેન્દ્રનગર જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં.
સાયલા તાલુકાના ગામની ગ્રામ પંચાયત જર્જરિત
દુધઇ ગામની ગ્રામ પંચાયત પણ જર્જરિત
સુરેન્દ્રનગર જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં છે ત્યારે સાયલા તાલુકાની ગ્રામ પંચાયત ઘર જ જર્જરિત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે વાવાઝોડા અને વધુ વરસાદના કારણે દફતરની જાળવણી અને સરકારી કામો માટે સરપંચ, તલાટી અને અધિકારીઓ પરેશાન બની રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં છે ત્યારે સાયલા તાલુકાની ગ્રામ પંચાયત ઘર જ જર્જરિત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. .સરકાર ગામડાનો વિકાસ ઝડપભેર બનાવવા માંગે છે પરંતુ દીવાતળે અંધારું સમાન ગામડાની પંચાયત ઘર જોવા મળે છે. ગ્રામપંચાયત ઘરની સ્થિતિ બિસમાર અને ઉતારી લેવા લાયક છે. જેમાં નડાળા, નવાગામ, લાખાવાડ, અડાળા-પીપળીયા, રાતડકી, નવા જશાપર, મોટા કેરાળા, સેજકપર, છડિયાળી, ઓવનગઢ, વાંટાવચ્છ, મોટા સખપર, વડિયા, નાગડકા, મોટા ભડલા, કાશીપરા, ઇશ્વરીયા, આયા-કેશરપર સહિત અનેક ગામડાની ગ્રામ પંચાયત જર્જરીત હાલતમાં છે. જેના કારણે ગામના વિકાસ, સમસ્યા માટે ગ્રામ સભાનું આયોજન કે વહીવટી કામ તલાટીને ગામના ખાનગી ઘરમાં બેસીને દફતરી કામ કરવું પડે તેવી સ્થિતિ છે.
તલાટી માટે મહત્વના દસ્તાવેજો અને દફતરો રામભરોસે મુકવા જેવી સ્થિતિએ તલાટીઓમાં ભય જોવા મળે છે. જર્જરીત પંચાયત બાબતે 3 વર્ષથી સરપંચ અને તલાટીઓએ ઠરાવ અને દરખાસ્ત કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. પંચાયત ઘર ન હોવાના કારણે વહીવટી કામ કરતા તલાટી મંત્રીને બેસવા અને કમ્પ્યૂટરસાધન માટે અલાયદી વ્યવસ્થા માટે મુશ્કેલી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી