નવસારીના બોરિયાજ ટોલનાકા ખાતે દારૂ નાશ કરવામાં આવ્યો
રૂપિયા ૨,૫૯,૯૬,૧૬૨ નો દારૂ નાશ કરવામાં આવ્યો
નવસારીના બોરિયાજ ટોલનાકા ખાતે આવેલ અવાવરી જગ્યામાં રૂપિયા ૨,૫૯,૯૬,૧૬૨ નો દારૂ નાશ કરવામાં આવ્યો
નવસારીના બોરીયાજ ટોલનાકા ખાતે આવેલ અવાવરી જગ્યા પર આજરોજ દારૂ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવસારીના પ્રાંત અધિકારી, નશાબંધી ખાતા અધિકારી, ડીવાય એસપી અને પાંચ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ અને તેમનો સ્ટાફ હાજર રહી દારૂ પર રોલર ફેરવવામાં આવ્યો હતો. ફાયર ટેન્ડર દ્વારા દારૂ નાશ પર પાણીનો માળો ચલાવી દારૂને અખાત્ય બનાવવામાં આવ્યો હતો. ગરમીના મોસમમાં આગ ન લાગે તેને લઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા દારૂની ગેરકરી વેચાણ સામેની લખોટી વધુ મજબૂત કરવામાં આવી છે.
