અમદાવાદના બોપલ વિસ્તારમાં મહાવીર સિંધવની અંતિમ યાત્રા
નિધનથી ચોકડી સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ
અમદાવાદના બોપલ વિસ્તારમાં ચુડા તાલુકાના ચોકડી ગામના વતની મહાવીર સિંધવની અંતિમ યાત્રા આજે તેમના વતન ચોકડી ગામમાં નીકળી હતી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં મહાવીર સિંધવની અંતિમ યાત્રામાં પરિવારજનો, સ્નેહીઓ, મિત્રો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગામમાં શોકમય વાતાવરણ વચ્ચે અંતિમ યાત્રા ચોકડી ગામના સ્મશાન સુધી પહોંચી હતી. ત્યારબાદ સ્મશાન ખાતે મહાવીર સિંધવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી ચોકડી સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
