દેશભરમાં જૈનોનો પર્યુષણ પર્વ
ગૃહમંત્રી હર્ષ સંઘવી શાહપોર ખાતે ચિંતામણી જૈન દેરાસરે દર્શને પહોંચ્યા
હાલ જૈનોનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શાહપોર ખાતે આવેલ ઐતિહાસિક ચિંતામણી જૈન દેરાસરે દર્શને પહોંચ્યા હતાં.
જૈનોનુ હાલ પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યુ છે ત્યારે સુરતના શાહપોર વિસ્તારમાં આવેલ ચિંતામણી જૈન દેરાસરમાં ગૃહમંત્રીએ દર્શન કર્યા હતાં. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પર્યુષણ મહાપર્વને લઈ દેરાસરમાં વિશેષ પુજા-અર્ચના કરી હતી. તો ગૃહમંત્રીએ દેરાસરના લોકો અને આસપાસના નાગરીકો સાથે વાત વિમર્શ પણ કર્યો હતો.
