સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
કતારગામમાં આવેલ ત્રિભોવન નગર સોસાયટીના મકાનમાં આગ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કતારગામમાં આવેલ ત્રિભોવનનગર સોસાયટીના મકાનમાં આગ લાગતા ફાયર દોડી ગયુ હતું.

સુરતમાં રોજેરોજ આગના બનાવો જોવા મળી રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારમાં આગની ઘટના બની હતી. કતારગામ ખાતે આવેલ ત્રિભોવન નગર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગી હતી. જેને લઈ સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગ લાગવાનુ કારણ અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *