ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની કાર્યવાહી
અમદાવાદ-સુરત-રાજકોટમાં ઓપરેશન ક્લિનસિટીમાં 1000થી વધુ અટકાયત
મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળના ડોક્યુમેન્ટ
ગુજરાત ડીજીપી વિકાસ સહાયે વધુ માહિતી આપી છે
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.
ભારતમાં આવીને વસતા ઘૂસણખોરોને હાલ ગુજરાત પોલીસે ડીટેઇન કર્યા છે તેઓની ખરાઈ કરવા માટે જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશન અને તેમના પુરાવા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે પરંતુ, અમદાવાદ અને સુરતમાં આ મેગા ઓપરેશન કરવા માટેની સૂચના શનિવારે સવારે ગાંધીનગરથી આવી હતી અને ત્યારબાદ અધિકારીઓએ આખો એક્શન પ્લાન બનાવ્યો અને ઓપરેશન ક્લીન બાંગ્લાદેશી શરૂ કરવામાં આવ્યું હતું. કોઈને પણ સહેજ પણ ખબર ના પડે તે માટે આખા ઓપરેશનની ગુપ્તતા સિનિયર આઇપીએસ અધિકારીઓ સુધી જ રાખવામાં આવી હતી. શંકાસ્પદ લોકોને પોલીસ પકડે ત્યારે સૌપ્રથમ પોલીસ તેનું ઓળખપત્ર અને સંબંધિત દસ્તાવેજો માંગે છે અને તેની તપાસ કરે છે. જો તે દસ્તાવેજો ખોટા હોય તો વધારે વિગતો મેળવાય છે. જ્યારે પોલીસ એ નક્કી કરી લે છે કે આ વ્યક્તિ ભારતીય નાગરિક નથી, ત્યારે તેને વિદેશી હોવાના પુરાવા સાથે મંત્રાલય હેઠળ આવતી એફ.આર.આર.ઓ. (FRRO) એજન્સી ચલાવતા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે છે. ગુજરાત ડીજીપી વિકાસ સહાયે વધુ માહિતી આપી છે
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં. જે ઘૂસણખોરના દેશની સરહદ ભારત સાથે જોડાયેલી હોય છે, એવા નાગરિકોને બસ કે ટ્રેન મારફતે તેમના દેશ મોકલવામાં આવે છે. જ્યારે એવાં દેશો જ્યાં ભારતની સીધી સરહદ નથી, ત્યાંના નાગરિકોને હવાઈ માર્ગે મોકલવામાં આવે છે અને સાથે તેમના દેશમાં પૂર્વસૂચના આપવામાં આવે છે. આવા તમામ નાગરિકોનો એક ડેટા પણ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદ ક્રાઇમ જેસીપી શરદ સિંઘલે વધુ માહિતી આપી ચેહ
ગુજરાતમાં કચ્છ અને ભરૂચમાં એમ બે ડિટેન્શન સેન્ટર છે. FRRO ડિટેન્શન સેન્ટરમાં પહોંચેલા વિદેશી નાગરિકથી પૂછપરછ કરે છે. અને તેની પાસે ભારતમાં ગેરકાયદે રીતે આવવા અને રહેવાની પાછળનું કારણ જાણે છે. ત્યારબાદ તે વ્યક્તિના તેના મૂળ દેશનો નાગરિક હોવાનું સાબિત કરતા પુરાવા સાથે તેના દેશના અધિકારીઓને માહિતી આપવામાં આવે છે અને ત્યારપછી તેને તેના દેશ મોકલી દેવામાં આવે છે. હવે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને આગળની કાર્યવાહી માટે જુડિશિયલ ઇન્ટ્રોગેશન સેન્ટર તથા ડિજિટલ ફિંગરપ્રિન્ટ પ્રક્રિયામાં સ્થાનાંતરિત કરવામાં આવશે. સમગ્ર કાર્યવાહીને લીગલ ચેક અને માઇગ્રેશન એક્ઝામિનેશન હેઠળ આગળ વધારવામાં આવશે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી