સુરતમાં શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી
દોઢ ટકા વ્યાજ આપવાનું કહીને લોકો પાસેથી કરોડો પડાવ્યા
ચીટીંગ કરનારા આરોપીની ચોકબજાર પોલીસે ધરપકડ કરી

 

મહિને દોઢ ટકા વ્યાજ આપવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ચીટીંગ કરનારા આરોપીની ચોકબજાર પોલીસે ધરપકડ કરી છે. સુરતમાં આરોપીની પ્રોપર્ટી ઉપરાંત દુબઇ સ્થિત પણ તેની ઓફિસ અંગે પોલીસ દ્વારા તપાસ કરાશે. પોલીસની આ તપાસમાં રોકાણકારોએ કરેલા રોકાણનો આંકડો વધવાની શક્યતા છે.

રાપ્ત વિગતો મુજબ સિંગણપોર સ્થિત સિલ્વરસ્ટોન આર્કેડમાં ઓફિસ ધરાવતા અને શેરબજાર તેમજ રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવતી કંપનીના માલિક નિલેશ જાદવએ લોકોને રોકાણના દોઢ ટકા વ્યાજ આપવાનું કહીને આકર્ષ્યા હતા. ઓફિસમાં જ કામ કરી હાલ નિવૃત જીવન પસાર કરતા ચેતન વાઘેલા હસ્તક 178 લોકોએ રૂા.3.38કરોડનું રોકાણ કર્યું હતું. થોડા સમય સુધી વ્યાજ આપ્યા બાદ નિલેશે વ્યાજ આપવાનું બંધ કર્યું હતું. ઉઘરાણી કરવામાં આવતા નિલેશે હાથ ઊંચા કરી દીધા હતા. આ સમગ્ર મામલે ચેતનની ઉપર જ ઉઘરાણી શરૂ થતા તેને ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે પોલીસે નિલેશ જાદવની સામે ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ ૧૨ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસ દ્વારા આ અંગે રજૂઆત કરી હતી કે. આરોપીએ પોતાના પરિવારના સભ્યોના નામે પ્રોપટી ખરીદી છે. દુકાન તેમજ ગાડીઓ ગીરવે મુકી છે, સુરતમાં કેટલી મિલકતો છે તેમજ લોકોના રૂપિયાથી કઈ જગ્યાએ કેટલું રોકાણ કર્યું છે, આ ઉપરાંત ઓલપાડમાં પણ ટોકન રૂપિયા આપીને જગ્યા લીધી છે. તેમજ દુબઇમાં પણ ઓફિસ ધરાવતા હોય આ તમામ બાબતે તપાસ કરવાની હોવાથી વધુમાં વધુ રિમાન્ડ આપવા રજૂઆત થઈ હતી. સામે બચાવપક્ષે એડવોકેટ રિચા વાણીયાવાલાએ રજૂઆતો કરી હતી કે, તમામ ડોક્યુમેન્ટ આધારિત તપાસ કરવાની હોય તેમાં આરોપીની હાજરીની જરૂર ન હોવાથી રિમાન્ડ આપી શકાય નહીં. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી નિલેશ જાદવના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *