સુરતમાં ફરી એક યુવાનએ આપઘાત કરી લીધો
દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આપઘાતની ઘટનાને લઈ પરિવારજનો સહિતનાઓ પર આભ તુટી પડ્યુ
સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે દેવુ થઈ જતા એક 29 વર્ષિય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યુ છે.
સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગાર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય વ્યક્તિએ દેવું થતા આપઘાત કર્યો હતો. 29 વર્ષીય સુદામ છેલ્લા ચાર થી પાંચ વર્ષતી મની ટ્રાન્સફરનું કામ કરતો હતો અને છેલ્લા 10 દિવસ થી તે ડિપ્રેશનમાં હતો. દેવું વધી જતા ડિપ્રેશનમાં આવતા સુદામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. તો સુદામના આપઘાતની ઘટનાને લઈ પરિવારજનો સહિતનાઓ પર આભ તુટી પડ્યુ હતું. બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
