સુરત શહેર પોલીસ દ્વારા નવો અભિગમ શરુ કરવામાં આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર પોલીસ દ્વારા નવો અભિગમ શરુ કરવામાં આવ્યો
પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો
જાહેર કરેલા નંબરો ઉપર સંપર્ક કરવા પોલીસ કમિશ્નરએ અપીલ કરી
આપઘાતનો વિચાર આવે તો 8128369100, 81283 08100 અને 100 પર કોલ કરો

સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવો રોકવા પોલીસ દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે

સુરત શહેર પોલીસ દ્વારા નવો અભિગમ શરુ કરવામાં આવ્યો છે. શહેરમાં આપઘાતના બનાવો રોકવા માટે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી પરેશાન છે અને કોઈને એ સમસ્યા જણાવી ના શકતો હોય અને આપઘાતનું વિચારતો હોય તો એક વખત સુરત પોલીસે જાહેર કરેલા નંબરો ઉપર સંપર્ક કરવા પોલીસ કમિશ્નર અનુપમ સિંગ ગહેલોતે અપીલ કરી છે. પોલીસે જે હેલ્પલાઈન નમ્બર જાહેર કર્યા છે તેમાં ૮૧૨૮૩ ૬૯૧૦૦ અને ૮૧૨૮૩ ૦૮૧૦૦ અને પોલીસ વિભાગના ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરી શકશે. નિવારણ અને માર્ગદર્શન માટે પોલીસ કંટ્રોલરૂમ ખાતે રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેઇન પોલીસ માણસો વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્નો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *