આદિવાસી સંસ્કૃતિને ઉજાગર પરંપરાગત કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો

Featured Video Play Icon
Spread the love

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર પરંપરાગત કરતો ભવ્ય ઢોલ મેળો યોજાયો
વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ભાગ લીધો
પરંપરાગત ઢોલ મેળાને માણતાં આયોજક જશવંતસિંહ ભાભોર

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય સાંસદ ઢોલ મેળો દાહોદની રેલ્વે સ્પોટ્સ ગ્રાઉન્ડ ખાતેના ભવ્ય રીતે યોજાયો હતો. આ ૧૮ માં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવતા જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિમાં ગીત-સંગીત-નૃત્યનો સુભગ સમન્વય જોવા મળે છે છે. તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઇએ. આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમમોનું આયોજન કરવું જોઈએ. આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને સાંસદ શ્રીએ શુભેચ્છા પાઠવી હતી. પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો છે ત્યારે તમામ કલાકારોને સાંસદ શ્રી ભાભોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આપણે આપણી મહાન સાંસ્કૃત્તિક વિરાસતનું જતન કરવું જોઇએ તેમ ઉમેર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમૃગ્ધ બન્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *