સુરતમાં કામ ધંધે જતા માતા-પિતાના માસુમ બાળકોની સુરક્ષા
પાંડેસરા પોલીસે શ્રમજીવી પરિવારના બાળકો માટે સેન્ટર શરૂ કર્યુ
હવેથી બાળકોની પોલીસ દેખરેખ રાખશે.
સુરતમાં કામ ધંધે જતા માતા-પિતાના માસુમ બાળકોની સુરક્ષાને લઈ સુરતની પાંડેસરા પોલીસે શ્રમજીવી પરિવારના બાળકો માટે સેન્ટર શરૂ કર્યુ છે જ્યાં બાળકોની પોલીસ દેખરેખ રાખશે.
સુરત પોલીસ હરહંમેશ પ્રજાની પડે રહે છે ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે. દુષ્કર્મ ના બનાવો વધતા પોલીસ દ્વારા નવો પ્રયાસ હાથ ધરાયો છે જેમાં જે બાળકોના માતા પિતા મજૂરી કરતા હોય તેવા બાળકોને પોલીસ સાવચેતી રાખશે. પોલીસ દ્વારા બાળકોને સવાર થી સાવચેતી ભાગ રૂપે સેન્ટર બનાવ્યું છે. જ્યાં માતા પિતા કામે થી આવ્યા બાદ નાના માસુમ બાળકો ઘરે લઈ જઈ શકશે. જેથી સુરત પોલીસની આ કામગીરીની લોકોએ સરાહના કરી છે.
