સુરત એસઓજીની ટીમે 1400 કિલોથી વધુ પનીર ઝડપ્યું

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની ટીમે 1400 કિલોથી વધુ પનીર ઝડપ્યું
શંકાસ્પદ 1400 કિલોથી વધુના પનીરના જથ્થાનો રિપોર્ટ નેગેટીવ
પનીરમાં ફેટની માત્ર ઓછી હોવાની સાથે પામ ઓઈલનુ મિશ્રણ

સુરત એસઓજીની ટીમે પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય અધિકારીઓની ટીમ સાથે પાડેલા દરોડામાં ઝડપાયેલા શંકાસ્પદ 1400 કિલોથી વધુના પનીરના જથ્થાનો રિપોર્ટ નેગેટીવ આવ્યુ હોવાનું ફુડ સેફ્ટી ઓફિસરે જણાવ્યુ હતું.

સુરતમાં થોડા સમય અગાઉ એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પાંડેસરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 1401 કિલો ગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો સિઝ કર્યો હતો. તો આ જથ્થાને ટેસ્ટીંગ માટે આરોગ્ય વિભાગ દ્વારા લેબમાં મોકલાયો હતો જ્યાંથી 25 દિવસ બાદ રિપોર્ટ આવ્યો છે જેમાં પનીરના નમુનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે. પનીરમાં ફેટની માત્ર ઓછી હોવાની સાથે પામ ઓઈલનુ મિશ્રણ મળી આવ્યુ હોવાનું પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *